ચમત્કાર ચકાસણી કેન્દ્ર અમરેલીના પ્રમુખ શ્રી શંભુભાઈ વાળા ઉમર વર્ષ 72 દ્વારા અંધશ્રધ્ધા નિવારણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં તેમણે વિવિધ પ્રયોગો જેવા કે હવામાં ધૂપ ઉત્પન્ન કરવો, જીભ આરપાર ત્રિશુલ પસાર કરવું. સળગતો કાકડો શરીર પર ફેરવવો, મોઢામાં અગ્નિ મુકવો,નાળીયેર માંથી ચુંદડી કાઢવી, કાચની બોટલમાં સિક્કા ઉતારવા, લોખંડની બેડી ખોલવી, હવામાં ચોખામાંથી મમરા બનાવવા,સિક્કા ગુમ કરવા, એકજ સિક્કામાંથી પાંચ છ સિક્કા ઉત્પન્ન કરવા, ખાલી થેલીમાંથી પૈસા અનેક ગણા કરવા, ઘરેણા એકના ડબલ કરવા.
જેવા અનેક વિધ પ્રયોગો રજુ કાર્ય હતા. જે વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર નિહાળ્યા હતા કાર્યક્રમને અંતે શ્રી શંભુભાઈ વાળાએ દરેક પ્રયોગની વૈજ્ઞાનિક રીતે સમજુતી આપી હતી અને હાથ ચાલાકીના પ્રયોગો વિદ્યાર્થીઓને શીખવ્યા હતા. સૌરાષ્ટ્ર માં અંધશ્રધ્ધા નું પ્રમાણ ઘણું વધારે છે, ત્યારે આ પ્રકારના જન જાગૃતિ ના કાર્યક્રમો જરૂરી છે. તેમ જણાવી વિરાણી હાઇસ્કુલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી જયંતભાઈ દેસાઈ તથા આચાર્ય શ્રી હરેન્દ્રસિંહ ડોડીયાએ શ્રી શંભુભાઈ વાળાની આ સેવાને બિરદાવી હતી.
જેવા અનેક વિધ પ્રયોગો રજુ કાર્ય હતા. જે વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર નિહાળ્યા હતા કાર્યક્રમને અંતે શ્રી શંભુભાઈ વાળાએ દરેક પ્રયોગની વૈજ્ઞાનિક રીતે સમજુતી આપી હતી અને હાથ ચાલાકીના પ્રયોગો વિદ્યાર્થીઓને શીખવ્યા હતા. સૌરાષ્ટ્ર માં અંધશ્રધ્ધા નું પ્રમાણ ઘણું વધારે છે, ત્યારે આ પ્રકારના જન જાગૃતિ ના કાર્યક્રમો જરૂરી છે. તેમ જણાવી વિરાણી હાઇસ્કુલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી જયંતભાઈ દેસાઈ તથા આચાર્ય શ્રી હરેન્દ્રસિંહ ડોડીયાએ શ્રી શંભુભાઈ વાળાની આ સેવાને બિરદાવી હતી.